કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક એવા રામ જન્મ સ્થળ અયોધ્યામાં ખાતે નિર્માણ પામેલા રામ મંદિરનો આગામી 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે દેશભરમાં તેની તૈયારી થઇ રહી છે ત્યારે રાજ્યમાં આગામી 22 મી ના રોજ જીવ હિંસા ન થાય તેમજ દારૂ નું કોઈ પણ પ્રકારે વેચાણ ન થાય તેવી માંગણી ઉઠી છે જેથી આ દિવસની પવિત્રતા જળવાઈ રહે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે પત્ર લખી દારૂ અને માંસનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગણી કરી છે

