વાંકાનેરના વઘાસીયા પાસે નકલી ટોલનાકુ પકડાયુ હતું જેમાં વાંકાનેર સીટી પોલીસે ભાજપ આગેવાન અને ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તેના ભાઈ યુવરાજસિંહ બહાદુર સિંહ ઝાલા સમયે ઉમિયા ધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ પટેલના પુત્ર અમરશીભાઈ સહિતના 5 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધવામાં આવ્યો હતો જોકે આ ઘટના બાદથી આરોપીઓ નાસતા ફરતા હોય ફરાર આરોપી પૈકી ધર્મેન્દ્ર સિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજ સિંહ ઝાલા દ્વારા મોરબી એડીશ્નલ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપી તરફીના વકીલ અને સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી બન્ને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે બન્ને આરોપીઓની આગોતરા જામીન અરજી રદ્દ કરી હતી

