વાંકાનેરના વઘાસીયા પાસેના ટોલનાકા પાસે જ કેટલાક કથિત માથાભારે તત્વો દ્વારા વાઈટ હાઉસ સિરામિકની હદમાં ગેર કાયદે ટોલનાકું ખડકી દીધા હોવાની ત્યાંથી નીકળતા વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવી સરકારની તિજોરીમાં મોટા પાયે નુકશાન પહોચાડતા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું જે બાદ પોલીસ તંત્ર અને જિલ્લા કલેકટર તંત્ર દોડતું થઇ ગયું હતું જે બાદ હાઈવે ઓથોરીટીના અધિકારી અને સેફ્વે કંપનીના અધિકારી પણ ટોલ નાકે દોડી ગયા હતા જોકે તેઓ ફરીયાદી ન બનતા પોલીસ મેદાનમાં આવી હતી અને તેઓ ફરિયાદી બની હતી અને વાઈટ હાઉસ સિરામિક ના સંચાલક અમરશી જેરામ પટેલ, રવિરાજ સિહ વનરાજસિંહ ઝાલા,હરદેવસિંહ જયુભા ઝાલા, વઘાસીયા ગામના સરપંચ અને ભાજપ આગેવાન ધર્મેન્દ્રસિંહ બહાદુર સિહ ઝાલા યુવરાજ સિંહ ઝાલા તેમજ અજાણ્યા શખસ સામે 384,406 420 506 (2) અને 34 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસદાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

