મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આગામી 14મી ના રોજ સાંજે 5 કલાકે નુતન વર્ષના પ્રારંભે કન્યા છાત્રાલય ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નવા વર્ષના પ્રથમ દિવસે જૂની કડવી યાદોને ભૂલી નવા વર્ષે નવી ઉર્જા સાથે મળી સમાજને એક કરવા પ્રયાસ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે
આવનાર સમયમાં પડકારો અને સમસ્યાઓને પહોચી વળવા હકારાત્મક તેમજ સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિ કરવાના હેતુથી ઉમા સંગઠન સમિતિની રચના કરવામાં આવશે અને આ સ્નેહમિલન સમારોહમાં સભ્ય નોધણી કરવામાં આવશે આ સ્નેહમિલન સમારોહમાં લોકોને હાજર રહેવા કડવા પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથીએ જણાવ્યું છે

