મોરબી તાલુકાના લાલપર ગામની ,સીમ વિસ્તારમાં આવેલા પટેલ હાઉસ ના પાછળના ભાગે આવેલા ગોદાઉનમાં આયુર્વેદિક શિરપનો મોટો જથ્થો છુપાવેલા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી આ બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને 6,28,400ની કિમતનો શંકાસ્પદ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક શિરપનો જથ્થો કોઈ પણ આધાર પુરાવા વિનાનો મળી આવ્યો હતો જે બાદ પોલીસે આ જથ્થો જપ્ત કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં આ જથ્થો કલ્પેશ અશ્વિનભાઈ કોટેચા નામની વ્યક્તિના હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

