રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી કરવાનો નિર્ણય લીધો છે જેમાં TET TAT પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને કરાર આધારે નોકરીમાં રાખવાની શરત મૂકવામાં આવી છે જેને ને લઈ TET TAT ના પરીક્ષાર્થીઓના ન્યાય માટે abvp ના કાર્યકરોએ આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ કર્યો હતો TET TAT ની પરીક્ષા માં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક યોજના ના વિરોધમા ABVP અને ઉમેદવારો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જો આ માંગ નહી સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

