મોરબીના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા પ્રશાંતભાઇ નરશીભાઇ પરમાર રહે. અબ્દુલભાઇ એમ.બુખારી નામનાં બે લોકો ૧૩ વર્ષનો એક સગીરને લઇ પોલીસ મથકમાં લાવ્યા હતા અને શનાળા બાયપાસ પાસે મારી સોનલકૃપા નામની ઓફીસ થી નાસ્તો કરતા ગયેલ તે સમયે ગાડી આગળ અચાનક એક છોકરો આવી જતા ગાડી ઉભી રાખી તેનુ નામ ઠામ પુછતા પોતે કશું બોલેલ નહિ અને થોડો માનસિક અસ્વસ્થ જેવો લાગતા હતો તેથી મે શનાળા બાયપાસ ના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેના કોઇ વાલી વારશ મળી આવેલ ન હોય જેથી હું આ છોકરાને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં લાવ્યા હોવાનું જણાવ્યું હતું.જે બાદ તેઓ SHE TEAM ના કર્મચારીઓને બોલાવાઈ હતી અને તેમના દ્વારા બાળકની પુછપરછ કરતા પોતે કાંઇ બોલતો ન હોય જેથી બાળક જે જગ્યાથી મળી આવેલ તે જગ્યાએ તપાસ કરતા સલાણીયા વાસ એસ્સાર પંપની પાછળ ઉમીયા આશ્રમની બાજુમાં ભક્તિનગર સર્કલ પાસે રહેતા જીતેશભાઇ રમેશભાઇ સીંધવ ઉવ-૩૫ ધંધો-માલઢોર વાળાજી તપાસ કરતા તેઓએ જણાવેલ કે પોતાનો દિકરો દિપક ઉવ-૧૩ વર્ષ નો જે જન્મ સમયથી માનસિક છે તે આશરે સવાર ના અગ્યાર વાગ્યેના આસપાર ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહેલ અને જેની આસપાર તપાસ કરતા મળી આવેલ નહિ બાદ તમો પોલીસ ને મારો દિકરો મળી આવતા દિપક ઉવ-૧૩ વર્ષ ના છોકરાને તેઓના માતા-પિતાને સહિ સલામત સોપ્યો હતો.

