મોરબી માળિયા નેશનલ હાઈવે પર સોખડા ગામની હદમાં આવેલા ફાસ્ટેન લેમિનેટ નામની ફેક્ટરીમાં રહેતા અને મજુરી કામ કરતા મૂળ જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ડેરવાણ ગામના વતની પ્રફુલભાઇ હમીરભાઇ બકુત્રા નામના શ્રમિકે અગમ્યકારણસર ગામના યુવકે ગળા ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટના બળ મૃતકને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે બી પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે

