વાંકાનેર તાલુકાના માટેલીયા નદીના કાઠે ક્યુટોન સિરામિક સામે બુધવારે મોડી રાત્રે એક યુવકની લાશ મળી આવી હતી જે બાદ તેને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા એડી નોધ કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતકનું નામ સત્યભાન કાનછેદી કોલ જે મૂળ મધ્ય પ્રદેશના સતના જીલ્લાનો વતની હોય અને વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલ સરતાનપર સ્ટાઇલમ સીરામીકમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે પોલીસે યુવકના મૃત્યુ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

