મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના મહેન્દ્રગઢ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ ખીમજીભાઈ બાવરવા ગુરુવારે બપોરના સમયે ક્લાસમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા તે દરમિયાન અચાનક છાતીના ભાગે તીવ્ર દુખાવો થતા સારવાર માટે ખાનગી વાહનમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા જોકે શિક્ષકને સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે એડી નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે

