મોરબી જીલ્લાના માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામમાં રહેતી એક સગીરાએ અગમ્ય કારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે માળિયા મિંયાણા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના માંળીયા મિયાણા તાલુકાના બગસરા ગામમાં રહેતા રામજીભાઈ અખિયાણીની ૧૭ વર્ષની દીકરી શિલ્પાબેન અખિયાણીએ પોતાના જ ઘરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા માળીયા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

