મોરબી જિલ્લાના ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આગામી ૨૫ જાન્યુઆરીના રોજ ચાચાપર ગામમાં રજત જયંતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે જેમાં ૫૬ નવ યુગલો પ્રભુતામાં પગલાં પાડશે આ લગ્નોત્સવ દરમિયાન સવારે ૮થી ૯ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું પણ યોજાશે જેમાં સ્વામીનાંરાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર બ્લડ બેંક પણ જોડાશે. લોકોને વધુ માહિતી માટે પ્રમુખ ડો.મનસુખ મગનભાઈ કૈલા ઉપપ્રમુખ મણીલાલ સરડવા જયંતીલાલ દામજીભાઈ પડસુંબિયા મંત્રી જયંતીલાલ ગોવિંદભાઈ વીડજા સહમંત્રી મગનભાઈ પ્રભુભાઈ અઘારા સહિતના નો સંપર્ક કરવા જણાવ્યું છે

