મોરબીના લીલાપર રોડ પર આવેલા બોરીયા પાટી વિસ્તારમાં તસ્કર ત્રાટકયા હતા અને અહીં આવેલ ખાનગી કંપનીના ટાવર ના વંડાની દિવાલનો દરવાજો ખોલી ગે.કા રીતે અંદર પ્રવેશ કરી ટાવર પાસે રહેલ કીલોસ્કર કંપનીનુ ૧૫ કેવી.નુ જનરેટર (ડી.જી) કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા હતા બનાવની કંપનીના કર્મચારી અશોક પાલજી રાઠોડે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ કે.એચ.ભોચીયા એ તપાસ હાથ ધરી હતી.

