મોરબીમાં દિવાળી પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.મોરબી માં નાના ભૂલકાઓથી લઈ મોટેરાઓએ આતશબાજી કરી દિવાળી ઉજવી હતી. શહેરમાં આખી રાત લોકોએ આતશબાજી કરી હતી. જેનાં કારણે અલગ ફાયર વિસ્તારમાં નાની મોટી આગની ઘટના બની હતી તો ફાયર સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્ર સિંહ ઝાલા અને ફાયર વિભાગના સ્ટાફે પણ અગાઉથી તૈયાર હોવાથી તુરંત આગ લાગી હોય તેવા સ્થળે પહોંચી ગયા હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગજનીની ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી. તો મોટા નુકશાનની ઘટના સામે આવી નથી.

આ ઉપરાંત ફાયરની ટીમે સનાલા રોડ પર સમયગેટ પાસે રામજી મંદિર નજીક વોકળામાંથી રામસૂરભાઈ વાઘ નામના વૃધ્ધની લાશ મળી આવી હતી જેને પીએમ માટે સિવિલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

