માળિયા મિયાણા તાલુકાના કુંતાસિ ગામના વતની વિજયભાઈ ડાયાભાઈ પરમાર નામના 21 વર્ષીય યુવાન ચમન પર ગામના તળાવતળાવમાં નાહવા પડેલ હતા તે દરમિયાન અકસ્માતે ડૂબી જતા કમકમાટી ભર્યું મોત નીપજયું હતું બનાવની જાણ થતાં પરિજનો મૃતકને માળિયા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે માળિયા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બી એચ ઝાલા ચલાવી રહ્યા છે પ્રાથમિક તપાસમાં યુવક કુંતાસી ગામના વતની હતા અને પરિવાર સાથે ચમનપર રહેતા હતા.

