મોરબીના હેરીટેજ સ્મારક એવા મણી મંદિર પાસે આવેલ મસ્જીદ આગળના ભાગે કોઈ પણ મંજુરી વિના કથીત રીતે ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી જે અંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ તંત્રને લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો દાખલ કરવા ઉગ્ર રજુઆતો કરી હતી જેથી અંતેમાર્ગ મકાન વિભાગ દ્વારા ગેરકાયદે ખડકી દેવામાં આવેલ મસ્જીદના મુંજાવર વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં એ ડીવીઝન પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન પોલીસે મસ્જીદના મૂંઝાવરની હાસમશા ઝાકીરશા ફકીરને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

