માળિયા મિયાણા તાલુકાના ખરઈ ગામમાં રહેતા બુદરભાઈ કાનજીભાઈ સુરાણીએ વીર વીદરકા ગામના રાજુ માલાભાઈ ભરવાડને કળબ વેચાતી આપેલ હોય અને જેના પૈસા લેવાના બાકી હોય જે પૈસા લેવા જતા અને માંગણી કરતા સારૂ નહી લાગતા રાજુભાઇ માલાભાઈ ભરવાડ તથાઘોઘા માલા ભાઈ ભરવાડ ગાળ આપવા લાગતા તેને ગાળ બોલવાની ના પાડતા એકદમ ઉશકેરાઇ જઇ ઝપાઝપી કરતા રાજુએ નાએ હાથમા પહેરેલ કડુ માથામા મારી ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

