મોરબીના પંચાસર ગામમાં રહેતા જગદીશભાઈ બાબુભાઈ પરમાર નામના યુવાને તેનીજીજે ૩૬ ટી ૫૦૬૭ માલવાહક વિહિકલમાં જયભીમ લખેલા હોય જે બાબતે ગામના હિતુભા વિક્રમસિંહ ઝાલા નામના શખ્સને સારું ન લાગતા લખાણ દુર કરી નાખજે તેમ કહી માથાકૂટ કરી હતી અને તેના ઘરે પહોચ્યો હતો અને તારી ગાડીમાંથી જયભીમ કાઢી નાખજે તેમ કહીઝઘડો કર્યો હતો જે બાદ તેની સાથે ઝપાઝપી કરી જગદીશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે જગદીશભાઈ નામના યુવાને તાલુકા પોલીસ મથકમાં આરોપી હિતુભા ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

