HomeGujaratવન વિભાગ અને એસટી કર્મીઓ બાદ બેંકના કર્મચારીઓ હડતાળ પર

વન વિભાગ અને એસટી કર્મીઓ બાદ બેંકના કર્મચારીઓ હડતાળ પર

સેન્ટ્રલ બેંક મેનેજમેન્ટ દ્વારા બેંક કર્મચારીઓની આડેધડ કરાયેલ બદલી અંગે રજૂઆત બાદ 45 દિવસનો સમય વીતી જવા છતાં મુળ જગ્યાએ પરત નહીં મુકાતા વ્યાપક રોષ ફેલાયો છે જેના ભાગરૂૂપે ગુજરાત બેંક વર્કસ દ્વારા તા.19, 20ની હડતાલનું એલાન કર્યું છે જેથી કરોડોના ટ્રાન્જેક્શન ઠપ્પ થશે.

સેન્ટ્રલ બેંકના મેનેજમેન્ટે મે મહિનામાં 4325 કર્મચારીઓની દ્વી-પક્ષીય કરાર અને બેંકની પોતાની બદલીની નીતિનું ઉલ્લંઘન કરી બદલી કરી હતી. બેંકે કલાર્ક પટાવાળા ઉપરાંત અધિકારીઓની પણ આડેધડ બદલી કરી હતી. ટૂંકમાં કર્મચારીઓમાં બેંકની અમાનુષી બદલી સામે રોષ ભભુક્યો હતો. યુનાઇટેડ ફોરમ ઓફ સેન્ટ્રલ બેંક યુનિયનના આદેશ મુજબ કર્મચારીઓએ હડતાલનું એલાન આપેલ છે.

હડતાલના એલાન બાદ સરકારના સમાધાનકારની મધ્યસ્થી થયેલ અને ત્યારબાદ બેંક અને કર્મચારીઓના સંગઠન સાથે વાટાઘાટ કરી મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેડીંગમાં સહી સીક્કા કરેલ અને રજૂઆત બાદ 45 દિવસમાં તેમના મુળ સ્થળે પરત લઇ આવવાની વાતને માન્ય રાખી હતી પરંતુ 45 દિવસ બાદ બેંકે હકારાત્મક નિર્ણય ન લેતા તા.19, 20ના રોજ હડતાલનું એલાન આપેલ છે. બેંક તરફથી આઇડી એક્ટની કલમ તેમજ કેરાલા હાઇકોર્ટે આ બદલી દ્વી-પક્ષીય કરારની વિરૂૂદ્ધ છે તેમ ઠરાવવામાં આવેલ છતાં બેંક પોતાની વાતને વળગી રહેલ છે અને કર્મચારીઓની નોકરી સમાપ્તી સુધીની ધાક ધમકી આપી રહેલ છે. કર્મચારીઓ હડતાલમાં મક્કમ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW