મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ એક મકાનમાં યુવકે આગમ્ય કારણસર ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં આવેલ રહીમભાઈના મકાનમાં રાહુલભાઈ છગનભાઇ મકવાણા નામના 23 વર્ષના યુવાને અગમ્યકારણ ફાંસો લગાવી આપઘાત કર્યો હતો.બનાવની જાણ થતા મૃતકને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આપઘાત મોત અંગેની નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

