વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વદેશમાં નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ જહાજને નેવીના વોરશિપ ડિઝાઈન બ્યુરો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. જહાજમાં આશરે 2,200 રૂમ છે, જે લગભગ 1,600 ક્રૂ મેમ્બર માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
નેવીની શક્તિમાં વધારો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેરળ પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. વડાપ્રધાન આજે કોચીથી સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને નેવીમાં સામેલ કરશે. આ સાથે બ્રિટિશ યુગના નિશાનોમાંથી મુક્તિ મળશે. કોચીન શિપયાર્ડમાં બનેલ મેક ઇન ઇન્ડિયા હેઠળ આ એરક્રાફ્ટ કેરિયરના નિર્માણમાં 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ જહાજના સત્તાવાર ઇન્ડક્શન સાથે હવે નેવીની તાકાત બમણી થઈ જશે. 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું INS વિક્રાંત 18 નોટિકલ માઈલથી 7500 નોટિકલ માઈલની રેન્જને કવર કરી શકે છે.

