રાજકોટ-મોરબીના સાંસદ મોહન કુંડારિયાના કમાન્ડો અશ્વિન રાયધન બાલસારાએ તેમના વતન મોટા દહીસરા ખાતે આવેલ મકાનમાં પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ફાયરીંગ કરી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા માળિયા પોલીસ મથકના પીએસઆઈ બી ડી જાડેજા અને તેની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોલીસને ઘટના સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી હતી જેમાં મૃતકને ફેફસાની બીમારી હોય અને આ કારણથી કંટાળી જઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે માળિયા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

