આઝાદીના અમૃત મહોત્સવ તેમજ હર ઘર ત્રિરંગા અભિયાન ચાલી રહ્યું છે અને લોકો ઘર ઓફીસ તેમજ પોતાના વાહન પર ત્રિરંગો લગાવી રહ્યા છે. ૧૫ મી ઓગસ્ટ બાદ લોકો રાષ્ટ્ર ધ્વજ પોતાના ઘર કે વાહન પરથી નીચે ઉતારી દેશે તો ક્યાંક બેદરકારી દાખવી રાષ્ટ્ર ધ્વજનું અપમાન પણ કરી બેસે છે મોરબીમાં આ રીતે રાષ્ટ્ર ધ્વજનું અપમાન થતું અટકાવવા મોરબી કાંતિકારી સેના દ્વારા તા 16 અને 17 ઓગસ્ટ દરમિયાન ત્રિરંગા એકત્રિત અભિયાન ચલાવવામાં આવશે અને પુરા માન સન્માન સાથે ત્રિરંગાને સાચવશે ત્યારે મમ્રોબી વાસીઓને ક્રાંતિકારી સેના દ્વારા 16 અને 17 ઓગસ્ટના રોજ શનાળા રોડ ખાતે આવેલ બાલાજી કલર,જીન્સ હબ,કેસરી ઝૂલા હાઉસ,ડી 11 જીન્સ તેમજ રવાપર રોડ પ્ર પાટીદાર ઇલેક્ટ્રોનીક,પટેલ સુપર મોલ,ફયુલ જીન્સ તેમજ અક્ષર માર્ટ વગેરેમાંથી કોઈ પણ એક સ્થળે જમા કરાવવા ક્રાંતિકારી સેના દ્વારા અપીલ કરવામાં આવી છે

