મોરબી શહેરના રેલ્વે સ્ટેશનના પાછળના ભાગે વિસીપરા નજીક ખાડા વિસ્તારમાં રહેતી હલીમાબેન અનવરભાઈ શેખ નામની મહિલાને તેન પતિએ અનવર શેખે ચારિત્રની શંકા રાખી ધોકા વડે માં મારતા મહિલાને ગંભીર ઈજા પહોચી હતી. જે બાદ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત નીવડે તે પહેલા તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ અંગે મૃતકના માતા અઈસાબેન મહમદભાઈએ આરોપી જમાઈ અનવર વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી .ઘટનાની જાણ થતા બી ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

આરોપી અવાર નવાર હલીમાબેનના ચારિત્ર પર આશંકા રાખી ઢોર માર મારતો હતો જેથી મહિલા અગાઉ પણ ઘરેથી ભાગી ગઈ હતી જોકે આરોપી ફરી તેને ઘરે પરત લાવ્યો હતો

