મોરબી તાલુકાના રવાપર નદી ગામે મેલડીમાંના મંદીર પાસે દરબારગઢ નજીક ખુમાનસિંહ મોબતસિંહ ઝાલાના રહેણાક મકાનમા તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેના રહેણાક મકાનમા પ્રવેશ કર્યો હતો અને રૂમમા રહેલા ગોદરેજના કબાટના તાળા તોડી નાખ્માયા હતા અને તિજોરીમાં સોના ચાંદીના દાગીના કિ.રૂ.૧,૧૨,૨૦૪/- તથા રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- તથા પાકીટમાં થી રોકડા રૂા.૧૧,૦૦૦/-એમ મળી કુલ કિંમત રૂા.-૨૭૩૨૦૪/- ના માલમતા ની તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી આ અંગે વધુ તપાસ પીઆઈ વિ.એલ. પટેલે હાથ ધરી છે

