ભાવનગરના સિહોરમાં લગ્નમાં મહેમાનો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. ભાવનગર પાસે આવેલા સિહોરમાં લગ્નપ્રસંગના જમણવારમાં 200થી વધુ મહેમાનોને ફૂડ પોઇઝનીંગ થઈ ગયું હતું. આ ઘટના પછી લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છાસ પીધા બાદ લોકોની તબિયત લથડી હતી.
બગડેલી છાશ પીવાથી 200થી વધુ લોકો પ્રભાવિત થયા છે ,આ મહેમાનોની તબિયત ખુબ ખરાબ થતાં તેમને સત્વરે હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ હોસ્પિટલ હાલ ભરચક થઇ ગઇ છે. ત્રણ પ્રસંગો દરમિયાન આ ફુડ પોઇઝનની ઘટના બની હતી. જેના કારણે હવે તબીબો ની પણ અગ્નિ પરીક્ષા થઈ રહી છે. જોકે તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ છે.

