ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની છે કે મુખ્યમંત્રી વિપક્ષી નેતાના ઘરે ગયા હોય. વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાના નિવાસસ્થાને પહોંચીને તેમના પિતાના દુઃખદ અવસાનથી શોકમાં ડુબેલા પરિવારને સાંત્વના પાઠવી હતી.
છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના જામલી ગામે વિરોધ પક્ષના નેતા શ્રી સુખરામ રાઠવાજીના પિતાશ્રીના બેસણામાં ઉપસ્થિત રહી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પાઠવી. pic.twitter.com/pRfasFPNMR
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 5, 2022
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાના પિતા હરિયાભાઇ રાઠવાનું તા.1-5-2022 ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયુ છે. કોઈ જાણ વગર જ મુખ્યમંત્રી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જે બાદ સુખરામ રાઠવાએ કહ્યું હતું કે કે 18 મુખ્યમંત્રીમાંથી ભુપેન્દ્ર પટેલ પહેલા એવા સીએમ છે જે વિપક્ષ નેતાના ઘરે આવ્યાં હોય.

સુખરામ રાઠવાએ વધુમાં કહ્યું કે પિતાના બેસણામાં હાજર રહી મુખ્યમંત્રી પરિવારજનોને સાંત્વના આપી તે વાતથી દિલથી આનંદ અનુભવું છું. મુખ્યમંત્રીની સાથે આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબહેન સુથાર, ધારાસભ્યઅભેસિંહ તડવી, મોહનસિંહ રાઠવાએ પણ સુખરામ રાઠવાના દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભા વિપક્ષ

