મોરબી જિલ્લાના માળિયા મિયાણા તેમજ હળવદ તાલુકા વિસ્તારમાં આવેલ કચ્છના નાના રણ આસપાસ આવેલ 10 એકરથી પણ વધુ વિસ્તારમાં પથરાયેલ મીઠાના રણમાં હજારો પરિવાર મીઠું પકાવવાનો વ્યવસાય કરી પોતાનું જીવન ગુજારી રહ્યા છે ત્યારે અગરિયા પરિવારને રણ વિસ્તારમાં પીવાના પાણી માટે તરફડવું ન પડે તે માટે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર વાકાણી ,ના.કાર્યપાલક ઈજનેર વર્મા તેમજ ખ્યાતીબેન મોદી અને ટીમ દ્વારા અગરિયા હિતરક્ષક સમિતિ,મારુતભાઈ બારૈયા ના સહયોગથી હળવદ તાલીકના રણ વિસ્તારમાં અગરિયા માટે પીવાના પાણીના ટેન્કર શરુ કરવમાં આવ્યા છે.

