રાજ્યમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષણમાં ભાગવદ્ ગીતા ભણાવવા માટેની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે આજે ભાવનગરમાં શિક્ષણમંત્રીએ આગામી નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતીનો અભ્યાસ કરાવવાની જાહેરાત કરી છે.

ભાવનગર યુનિવર્સિટીના 8માં પદવીદાન સમારંભમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુવાઘાણીએ એક અગત્યની જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષે શરૂ થનારું નવા શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતીનો અભ્યાસ કરાવાશે. જેથી આગામી નવા શૈક્ષણિક સત્રમાં આ અભ્યાસ ક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતની વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

