HomeGujaratરાજ્યમાં વધુ એક આંદોલનના એંઘાણ, દલિત સમાજે બનાવી નાંખી આવી રણનીતિ

રાજ્યમાં વધુ એક આંદોલનના એંઘાણ, દલિત સમાજે બનાવી નાંખી આવી રણનીતિ

ગુજરાત રાજ્યમાં પોલીસ ગ્રેડ પે અને ડૉક્ટર્સના આંદોલન બાદ હવે દલિત સમાજે આંદોલન કરવા રણનીતિ બનાવી લીધી છે. મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ગુજરાત દલિત સમાજની એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં દલિત સમાજના વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાય મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના દાસડાથી કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીના અધ્યક્ષ સ્થાને થયેલી ગુજરાત દલિત સમાજની આ બેઠકમાં બીજા પણ ઘણા મુદ્દા ચર્ચાયા છે.

આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર તા.1 માર્ચના રોજ અમદાવાદથી આ આંદોલનની શરૂઆત થશે. એવો નિર્ણય કરાયો છે. તા.1 માર્ચના રોજ અમદાવાદથી ગાંધીનગર પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ પછી તા.2 માર્ચના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે. નૌશાદ સોલંકીએ કહ્યું કે, ભાજપ શાસનમાં દલિત વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી ગયો છે. જેના પડઘા ઘણા ઊંડે સુધી પડ્યા છે. ભાજપ રાજમાં દલિત સમાજના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાયના વિરોધમાં એક લડત શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ખાનગી કૉલેજ તથા યુનિવર્સિટીમાં દલિત સમાજના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ બંધ થઈ ગઈ છે. જેથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી ગયો છે. આ મુદ્દે વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકારે કોઈ પ્રકારના પગલાં લીધા નથી. તેથી આવનારા સમયમાં મહાઆંદોલન થકી જનજાગૃતિ લાવીને સરકારને દલિત શક્તિનો પરચો બતાવવા આ આંદોલનની રણનીતિ ઘડાઈ ચૂકી છે.

બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવખત જ્ઞાતિવાદનો મુદ્દો ગુજરાત રાજ્યમાં ચર્ચામાં રહ્યો છે. આ વખતે ગુજરાતમાં દરેક રાજકીય પક્ષ લડી લેવાના મુડમાં છે. એવામાં આ પ્રકારના આંદલોનને સરકાર કેવા દ્રષ્ટિકોણથી જુવે છે એ જોવાનું છે. આ પહેલા પણ દલિતનો મુદ્દો ગુજરાતમાં જોરશોરથી ગાજ્યો હતો. જેના પડધા દેશભરમાં પડ્યા હતા. આ બેઠકમાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે, અનુસુચિત જાતિના ફંડમંથી બનાવેલા ફંડમાંથી વિદ્યાર્થીઓને અમુક સંખ્યામાં પ્રવેશ અપાય છે. મહત્ત્વની વાત એ પણ છે કે, મહેસાણામાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પર રૂમાલ મૂકી દેવાયો હતો. પછી મીડિયાને આવતું જોઈને તરત જ એ રૂમાલ દૂર કરી દેવાયો. ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ત્યાં સુધી કહ્યું કે, દલિત અને આદિવાસી સમાજના વિકાસના પાયાની અંદર શિક્ષણનું પ્રમાણ રહેલું છે. ભાજપ સરકારે આ બંને સમાજના શિક્ષણના પાસા પર ઘા માર્યા છે. આ મામલે ગુજરાતમાં આક્રોશનો માહોલ છે. જો સરકાર યુવાનોને શિક્ષણથી વંચિત કરતી હોય તો આવી સરકારને 2022માં ચૂંટણીમાં ઉખાડી ફેંકવી જોઈએ. આ માટે હવે હાલક થશે. આ સંપૂર્ણ રીતે સમાજનું આંદોલન છે. કોઈ પક્ષ તરફથી કે પક્ષ તરફથી નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW