માળિયા તાલુકામાં લાંબા સમય બાદ ફરીવાર ભેદી ઘડાકા સંભાડાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આસપાસના અનેક ગામના લોકો સવારે 11 વાગ્યાની આસપાસ ભેદી ધડાકા સંભળાયા હોવાનું જણાવી રહ્યા છે.માળિયા તાલુકાના નવલખીથી આસપાસ આવેલ નાના મોટા દહીસરા,તરઘરી,સરવડ,નાના -મોટા ભેલા, રાજપર વર્ષામેળી,માનસર સહિતના અનેક ગ્રામજનોએ ભૂકંપના આચકાનો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું.જોકે આ અંગે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તરફથી કોઈ સતાવાર જાહેરાત થઇ ન હતી માળિયા તાલુકામાં દર વર્ષે શિયાળામાં આવા ભેદી ધડાકા અને આચકાના અનુભવ થતો રહે છે જ

