મોરબીના નવા બસ સ્ટેશન સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવેલ છે. અહી દર વર્ષે સરદાર જયંતી , નિર્વાણ દિન નિમિતે તેમને પુષ્પાંજલી આપી દેશવાસીઓ શ્રધ્ધાંજલી આપે છે દેશની સ્વતંત્રતાની લડાઈ અને દેશના એકીકરણમાં મહત્વની ભમિકા ભજવનાર સરદાર પટેલની પ્રતિમા સ્થળની હાલ હાલત અત્યંત બિસ્માર છે.જેથી આ સ્થળ આસપાસ રીનોવેશન કરવાની જરૂરિયાત છે અને શહેરીજનો પણ સરદાર પટેલના યોગદાનને યાદ રાખી શકે તે માટે વહેલી તકે આ સ્થળનું રીનોવેશન કરવામાં આવે તેવી માગ સામાજિક કાર્યકર મેહુલ ગાંભવાએ ચીફ ઓફિસરને પત્ર લખીને કરી છે

