રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર અને શ્રીકુંજ ચોકડી આસપાસનો રોડ બંધ: વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે
મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં રહેતા નાગરિકો અને વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં હાલમાં ભૂગર્ભ ગટર તેમજ સ્ટ્રોમ વોટર (વરસાદી પાણીની) લાઈન નાખવાના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરી મુખ્ય રસ્તાઓ પર કરવાની હોવાથી વહીવટી તંત્ર દ્વારા અમુક વ્યસ્ત માર્ગોને કામચલાઉ ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે જાહેર જનતાને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
કયા રસ્તાઓ ક્યાં સુધી બંધ રહેશે? (વિગતવાર શેડ્યૂલ)
મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યા અનુસાર નીચે મુજબના રાજમાર્ગો પર વાહનોની અવરજવર બંધ રહેશે:
-
રેલ્વે સ્ટેશન રોડ થી જડેશ્વર મંદિર સુધી: આ મુખ્ય માર્ગ તારીખ ૦૭/૦૬/૨૦૨૬ થી ૧૪/૦ ૦૬/૨૦૨૬ (દિન-૮) સુધી તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.
-
જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધી: આ રોડ પણ આગામી ૮ દિવસ એટલે કે તારીખ ૦૭/૦૬/૨૦૨૬ થી ૧૪/૦૬/૨૦૨૬ સુધી બંધ રાખવામાં આવશે.
-
શ્રીકુંજ ચોકડી થી રાધે ક્રિષ્ના સ્કૂલ (વોકળા સુધી): આ માર્ગ પર જ્યાં સુધી લાઈન નાખવાનું કામ સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રોડ બંધ રાખવામાં આવશે.
મહાનગરપાલિકાની જાહેર જનતાને અપીલ
“શહેરના વિકાસ અને સુવિધા માટે ભૂગર્ભ ગટર તથા સ્ટ્રોમ વોટર લાઈનનું કામ ખૂબ જ જરૂરી હોઈ, મેઈન રોડ પર ખોદકામ ચાલશે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે મોરબીની જાહેર જનતાને વિનંતી છે કે તેઓ આ બંધ રસ્તાઓની નોંધ લે અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગો (ડાયવર્ઝન) નો જ ઉપયોગ કરે, જેથી કોઈ મુશ્કેલી ન પડે.” – મોરબી મહાનગરપાલિકા

