ટંકારાના દયાનંદનગર સોસાયટી ખાતે રહેતા હિતેષભાઈ રમેશભાઈ ભટાસણાએ અજાણ્યા ચોરો વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ તેમની “શ્રી રામ સેલ્સ એજન્સી” નામની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ રાત્રિના સમયે શટરનાં તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં દુકાનમાંથી બાગબાન તમાકુના 16 ડબ્બાવાળા કાર્ટૂન, કુલ કિંમત રૂ. 53,920નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

