હળવદ તાલુકાના મયાપુર ગામમાં રહેતા અને ખેતી કરતા બળદેવભાઈ ભુદરભાઈ કણઝારિયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે હળવદના દિલીપભાઈ ધરમશીભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ તેમજ અન્ય ચાર અજાણ્યા વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવ્યા છે.
ફરિયાદ મુજબ, આરોપીઓ બળદેવભાઈની વાડી પર આવી “આ ખેતર અમારું છે, ખાલી કરી દો” તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ગાળો આપી ઉશ્કેરાઈ જઈ બળદેવભાઈ અને તેમની સાથે રહેલી રમીલાબેન પર લાકડાના ધોકા અને ઢીકાપાટા વડે હુમલો કર્યો હતો.

