મોરબી તાલુકાના ખેવારીયા ગામની સીમ વિસ્તારમાં આવેલી ભીખાભાઈની વાડીમાં દુર્ઘટનાજનક બનાવ બન્યો હતો. અહીં રહેતા હર્ષ રાજેશભાઈ કાવર (ઉ.વ. 16) નામના સગીરને ગઈકાલના રોજ વીજશોક લાગતા ગંભીર હાલતમાં આવી ગયો હતો. બનાવમાં સગીરનું દુઃખદ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

