Thursday, February 19, 2026
HomeGujaratમોરબી મનપાની ફાયર શાખાએ સરકારી કચેરી, ઇન્ડસ્ટ્રીઝ તથા રેસિડેન્શિયલમાં 99 લોકોને...

મોરબી મનપાની ફાયર શાખાએ સરકારી કચેરી, ઇન્ડસ્ટ્રીઝ તથા રેસિડેન્શિયલમાં 99 લોકોને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા 02 સરકારી કચેરીમાં 28 તેમજ 02ઇન્ડસ્ટ્રીઝમાં 21 તથા રેસિડેન્શિયલમાં 50 માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શનના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. અગાઉ અપાયેલ નોટીસના પગલે 185 કોમ્પ્લેક્ષ અને 38 સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે અને આ સમયમાં 04 ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

મોરબીમાં 04 રેસ્ક્યુ કોલ તેમજ મોરબીમાં 05 આગ લાગવાના બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો ફુલ (PPE) આધુનિક સાધનો દ્વારા ફાયર ફાઈટીંગ કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ- (02822) 230050 અને 101 તથા 112 પર સંપર્ક કરી શકો છો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page