ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં રહેતા જયંતીલાલ વિરજીભાઈ ઉજેરિયા તેમના પરિવાર સાથે માતાજીના માંડવાના પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ભૂતકોટડા ગામે ગયા હતા અને તેની ગેરહાજરીની જાણે તસ્કરોને જાણ થઈ ગઈ હોય તેમ ઘરના તાળા તોડી તસ્કરો ઘરમાં ત્રાટક્યા હતા અને ઘરની તિજોરીમાં રાખેલા ત્રણ તોલા જેટલું વજન ધરાવતા સોનાના 2 મંગળસુત્ર જેની અંદાજિત કિ.રુ.1.35 લાક સોનાના પાટલા જોડી – ૦૧ .રુ.73,000 તથા સોનાની બુટી , તથા સોનાનુ ઓમ, ચાંદીની પાયલ જોડી સોના-ચાંદીની જુદા-જુદા વજનની ગીનીઓ તથા રોકડા રૂ.2.12 લાખ ર એમ મળી તમામ મુદામાલ કુલ કિ.રુ 4.45 લાખનો મુદામાલ ચોરી કરી તસ્કર લઈ ગયા હતા.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
કલ્યાણપરમાં પરિવાર માતાજીના માંડવે ગયો ને તસ્કરો 2.12 લાખ રોકડ અને સોના ચાંદીના દાગીના લઈ ફરાર
RELATED ARTICLES

