મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભાનુબેન જયંતીલાલ પૂજારાનું રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયું છે. તેઓ સ્વ. જયંતીલાલ લવજીભાઈ પૂજારા (પૂર્વ કાઉન્સિલર, જુના જનસંઘી તથા આર.એસ.એસ સાથે સંકળાયેલા)ના ધર્મપત્ની હતા.
તેમના અવસાનથી મોરબીના રાજકીય, સામાજિક તેમજ સેવાકીય ક્ષેત્રમાં શોકની લાગણી ફેલાઈ છે. અનેક આગેવાનો, કાર્યકરો અને નગરજનો દ્વારા શોક સંવેદનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સદગતની અંતિમ યાત્રા તારીખ 10/02/2026, મંગળવારના રોજ બપોરે 12:00 કલાકે રાજકોટ ખાતે નીલાબેનના નિવાસસ્થાનેથી નીકળશે.

