મોરબીના નવા સાદુળકા ગામે હરીપર કેરાળા માર્ગમાં આવેલ શિવલાલ મગનભાઇની વાડીની ઓરડીમાં રહેતા પતલીયા ગમલા રાઠ્વા નામના યુવાને ગઈકાલના રોજ ઓરડીમાં અગમ્ય કારણોસર પોતાની રીતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.