માળીયાના મોટાભેલા ગામના રહેવાસી ભરતભાઈ મગનભાઈ સરડવાએ GJ-36-AL-1909 નંબરના ઇકો કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મોરબીના જેતપર જુના દેવળીયા રોડ પર આરોપી ઇકો કાર (રજી. નં. જીજે-૩૬-એએલ-૧૯૦૯) ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ભરતભાઈના પુત્રના હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નં. જીજે-૩૬-એઈ-૨૫૨૫) ને ટક્કર મારી હતી.
અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને લઈ મૃતકના પિતાએ આરોપી કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

