હળવદના રાણેકપર રોડ પર આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની વિવેકભાઈ માખનસિંહ બઘેલ નામના યુવકે ઘરેથી પૈસાની માંગણી કરી હતી. પરંતુ પૈસા ન મળતા મનમાં આઘાત અનુભવી યુવકે ગત તા. 07/01/2025ના રોજ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ હળવદ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુવકના મૃત્યુ અંગે એ.ડી. નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

