વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામમાં આવેલા બુટ ભવાની મંદિરમાં ચોરીની ઘટના બની હતી જેમાં તસ્કરો મંદિરમાં ઘુસી રૂ 40 હજારની કિમતના છતર ની ચોરી કરી ગયાની ફરિયાદ નોધાઇ હતી આ ઘટનામાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી હતી જેમાં મંદિર તેમજ આસપાસના પેટ્રોલ પંપ અને ખાનગી જગ્યાના સીસીટીવી તપાસ કરતા તેમાં શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ હતી જેની ઓળખ માટે બાતમીદારો ને સક્રિય કર્યા હતા દરમિયાન પોલીસને આ શંકાસ્પદ શખ્સોની બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને રાજકોટ જિલ્લાના ખારચિયા ગામના જયેશ બાબુ મકવાણાને ઝડપી લીધો હતો.

