હળવદમાં આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ચિરાગભાઇ રજનીકાતભાઇ ઝિઝુવાડીયાને પોતાનો સોનીકામનો ધંધો વ્યસ્થિત ચાલતો ન હોય અને આર્થીક સંક્રામણ રહેતુ હોય જેથી મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ગઇકાલના રોજ પોતાના રહેણાક મકાને છતના ભાગે લગાવેલ પંખા સાથે દોરી બાધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

