હળવદના લીલાપુર ગામે સહદેવભાઇ જાદવની વાડીએ રહેતા અને મૂળ છોટાઉદેપુરના વતની રસીકભાઈ ચંદુભાઇ રાઠવા નામના યુવાનની સગાઇ વંકલા ગામ તા.નસવાડી જી.છોટાઉદેપુર ખાતે કરવાની હોય અને રસિકભાઈને ત્યાં સગાઇ કરવી ન હોય જેથી તેને મનમાં લાગી આવતા પોતાની જાતેથી ગત તા.22/10/2025ના રાત્રીના આઠેક વાગ્યે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.


