મોરબી જિલ્લામાં આવેલ જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશકિતના 100% ડેમ ભરાય ગયેલ છે. જેથી મચ્છુ-2 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યો. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ છે, આથી ડેમના નીચવાસના ગામો જેવા કે,
મોરબી તાલુકના (1)જોધપર (2)લીલાપર (3)ભડીયાદ (4)ટીંબડી (5) ધરમપુર (6)રવાપર (7)અમરેલી (8) વનાળિયા (9)ગોર ખીજડીયા (10)માનસર (11)નવા સાદુળકા (12)જુના સાદુળકા (13)રવાપર નદી (14)ગુંગણ (15)નારણકા (16)બહાદુરગઢ (17)નવા નાગડાવાસ (18) જુના નાગડાવાસ (19)સોખડા (20)અમરનગર
તેમજ માળીયા તાલુકાના (1)વીરવદરકા (2)દેરાળા (3)નવાગામ (4)મેઘપર (5)હરીપર (6)મહેન્દ્રગઢ (7)ફતેપર (8)સોનગઢ (9)માળીયા (મી) આ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકતને સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.