હળવદના ચાડધ્રા ગામેં રહેતા જેસીંગભાઈ નરશીભાઈ રાણેવાડિયા નામના વૃદ્ધે ગત તા.10/09/2025ના રોજ ચાડધ્રા ગામની સીમમાં આવેલ વાડીએ કોઈ કારણસર ખડ મારવાની ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા, જે બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી છે.

