વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ ટોરીસ બાથવેરના લેબર કોલોનીમાં રહેતા મમતા અને મહેન્દ્ર બન્નેને ગઈકાલના કોઇ વાતનું મનદુ:ખ થયેલ હોય જેથી પ્રથમ મમતાએ પોતાની જાતેથી ગળાફાંસો ખાઇ લેતા મહેન્દ્રએ મમતાની લાશ નીચે ઉતારી મમતાના મોતનું મનોમન લાગી આવતા મહેન્દ્રએ પોતે પોતાની જાતેથી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

