વાંકાનેરની લુણસર ચોકડી અર્જુન પ્લાઝાની બાજુમાં તાજ કમાન ગેરેજની દુકાનમાં રહેતા નદીમખાન રઇશખાન પઠાણએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, નદીમખાનના ગેરેજની દુકાનનું શટર ખોલી દુકાનમાં પ્રવેશી દિવાલની ખીંતીમાં ટીંગાળેડેલ બેગમાંથી એક સોનાની વીંટી તેમજ નક્સી કામ કરેલ લંબ ચોરસ ઘાટની વીટી જેનુ વજન 1.970 ગ્રામ જેની બિલ મુજબની કિં રૂ.- 20,124 અને ચાંદીની લક્કી સાકળ ટાઇપની લક્કી જેનો 125 ગ્રામ વજનની જેની બીલ મુજબ કિં રૂ.- 14,867 અને રોકડા રૂ.- 30,700 મળી કુલ કિ.રૂ.- 65,691ના મુદામાલની ચોરી થયા અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

