વાંકાનેર તાલુકાના અમરસર ગામના નવાપરા વિસ્તારમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી ગંદકીના ગંજ ખડકાયેલા છે શેરીની આસપાસ વરસાદી પાણી ભરાવવાના કારણે નું સામ્રાજ્ય ફેલાયેલું છે આ બાબતે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરેલ છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી અને આ વિસ્તારને સમસ્યા હલ થતી નથી જેના કારણે સ્થાનિકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ગંદકીના કારણે બીમારી નું પ્રમાણ પણ વધતા સ્થાનિક ગ્રામજનોને દવાખાના ના ખર્ચાઓ થઈ રહ્યા છે જેથી આ બાબતે ગામના આગેવાન ખોડાભાઈ હરજીવનભાઈ ચાવડા એ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી ના ગામ અમરસરના નવા પરા વિસ્તારમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરી છે.

